માં મોગલ ને રાજી કરવા આવી રીતે કરો પુજા, મણીધર બાપુએ પોતે જણાવી માતાજીને પ્રસન્ન કરવાની રીત
જો તમે પણ માં મોગલ ઉપર શ્રદ્ધા ધરાવવો છો તો કોમેન્ટમાં “જય માં મોગલ” લખવાનું ભુલતા નહીં. તમને માં મોગલ નો ચમત્કાર થોડા સમયમાં જ જોવા મળશે.
ગુજરાતમાં અનેક વિવિધ દેવી-દેવતાઓનાં મંદિર આવેલા છે. આપણને ઘણી વખત આ મંદિરોમાં દેવી દેવતાઓના ચમત્કાર વિશે સાંભળવા મળે છે. ભગવાન ઉપર શ્રદ્ધા હોવી પણ ખુબ જ જરૂરી છે. જો સાચા દિલ અને આસ્થાથી ભગવાનનું સ્મરણ કરવામાં આવે તો તેમની કૃપા અવશ્ય પ્રાપ્ત થતી હોય છે. ભારતમાં માતાજીના ઘણા સ્વરૂપ છે. કબરાઉ ધામમાં આવેલા માં મોગલ ઉપર ભક્તો ઊંડી આસ્થા ધરાવે છે. વળી કચ્છનાં કબરાઉ માં બિરાજમાન માં મોગલ પોતાના ભક્તોને અવારનવાર પરચા આપે છે.
કબરાઉ ધામમાં બિરાજમાન માં મોગલ પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પુરી કરે છે. માં મોગલના શરણમાં આવેલ કોઈ પણ ભક્ત ખાલી હાથે પરત ફરતો નથી અને હસતો હસતો ઘરે જાય છે. કચ્છમાં બિરાજમાન માં મોગલ નાં દર્શન કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ રહેતી હોય છે. માતાજીનાં દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. માં મોગલ ધામમાં ગાદી સંભાળી રહેલ મણિધર બાપુ અવારનવાર પોતાના ભક્તોની પરેશાનીઓને દુઃખ કરતા હોય છે અને તેમના જીવનમાં ખુશીઓ લાવે છે.
આજનાં આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે માં મોગલ ની સાચી પુજા કેવી રીતે કરી શકાય છે. જો તમે માં મોગલ ને ખુશ કરવા માંગો છો અને તેમના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે કોઈ દીવો કરવાની પણ જરૂરિયાત નથી, તમારે ફક્ત પોતાના કુળદેવીને દીવો કરવાનો છે અને ત્યારબાદ પોતાના કુળદેવી અને માં મોગલ નું સ્મરણ કરવાનો છે. ફક્ત આટલું કામ કરવાથી જ તમારી ઉપર માં મોગલ ની કૃપા વરસવા લાગશે.
કબરાઉ ધામમાં બિરાજમાન મણીધર બાપુએ કહ્યું હતું કે પોતાના કુળદેવી અને ત્યારબાદ માં મોગલ ઉપર શ્રદ્ધા રાખીને તેમને પ્રાર્થના કરશો તો તમારા બધા જ કામ પાર પાડી દેશે. માં મોગલ ને ફક્ત સાચી શ્રદ્ધાથી યાદ કરવાથી જ તેઓ રાજી થઈ જાય છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પુરી કરી આપતા હોય છે. વળી માં મોગલને ગુગળ ધુપ ખુબ જ પ્રિય છે. એટલા માટે ગુગળ ધુપમાં ગાયનું ઘી ઉમેરીને ધુપ દીવા કરવા જોઈએ. આટલું કરવા માત્રથી જ માં મોગલ પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થઈ જાય છે અને તેમને દરેક પરેશાનીથી દુર રાખે છે.
જ્યારે પણ કોઈ વ્યક્તિ સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી માં મોગલ ને યાદ કરે છે, તો ભક્તોના જીવનમાં રહેલ તમામ દુઃખ અને પરેશાનીઓ દુર કરવા માટે માં મોગલ સાક્ષાત આવે છે. સાચી શ્રદ્ધા રાખીને જો માં મોગલ ની માનતા રાખવામાં આવે તો તે અવશ્ય પુર્ણ થાય છે. ફક્ત આટલું કરીને તમે માં મોગલ ને પ્રસન્ન કરી શકો છો.
જો તમે પણ માં મોગલ ઉપર શ્રદ્ધા ધરાવવો છો તો કોમેન્ટમાં “જય માં મોગલ” લખવાનું ભુલતા નહીં. તમને માં મોગલ નો ચમત્કાર થોડા સમયમાં જ જોવા મળશે.